પ્રિય જ્ઞાતિજનો , પૌલત્સ્ય પરિવાર ના સભ્યો ,
વિક્રમ સંવત 2075 અને ઈ . સ . 2019 નું નવું વર્ષ આપ સૌને લાભપ્રદ, આરોગ્યમય અને ધનધાન્ય થી ભર્યું બને તેવી 'માં દુર્ગા ને ' પ્રાર્થના .
તા . 19-02-2019 ના મહા સુદ 15ને મંગળવારે મા દુર્ગા નો 47મોં પાટોત્સવ કનીજ ખાતે ઉજવવામાં આવશે . નવચંડી યજ્ઞનો આરંભ સવારે 09-30 થી થશે . શ્રીફળ સાંજે 05-00 હોમાશે . આ મંગળ દિવસે આપ સૌને આવકારતા હું તથા સૌ મંડળના સભ્યો સહીત આનંદ અનુભવીએ છીએ .
પૌલત્સ્ય પરિવારજનોએ મંડળ ને આર્થિક સંકડામણ ક્યારેય અનુભવવા દીધી નથી . મંદિર ખાતેની એફ . ડી .ની રકમ માં કોઈ કાપ મુક્યો નથી . તમારા બધાનો સહકાર અને મા દુર્ગાના આશિષથી આરંભેલું બધું જ કામ પૂર્ણ થાય છે .
માના ધામમાં સ્ટીલની માંડવી,રાજા ખુરશી નંગ-2 તથા લગ્ન માટેની સ્ટીલની ચોરી અને યજ્ઞકુંડ પણ દાનમાં મળેલ છે . 'પૌલત્સ્ય શિક્ષણ સહાય ' યોજનાનું કામકાજ પણ વ્યવસ્થિત રીતે ચાલે છે . ચોપડાનું વિતરણ તથા રૂપિયા બે લાખ પચાસ હજાર સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબોને આર્થિક સહાય પણ દર વર્ષે આપવામાં આવે છે . આ પ્રવૃત્તિનો વ્યાપ વધતો જાય છે . તેથી આર્થિક મદદ કરતા રહેશો તેવી અમારી ઈચ્છા છે . શિક્ષણ માટે દાન શ્રેષ્ઠદાન છે . ચોપડા બનાવવાના ખર્ચમાં વધારો થતો જાય છે .
"પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના" પૌલત્સ્ય પરિવારજનો માટેનું એક આગવું અને વિશિષ્ટ સોપાન છે . અમદાવાદ અને વડોદરા ખાતે કાર્યાલય ચાલે છે . બંને કાર્યાલય તથા અગાઉ જણાવ્યા પ્રમાણેના ચોપડાના વિતરણ કેન્દ્રો ઉપરનું કામકાજ સંતોષકારક ચાલે છે . આજ સુધી ક્યાંયથી ફરિયાદ મળી નથી . સૌ હોદ્દેદારો,કારોબારી સભ્યો, ટ્રસ્ટીમંડળ સક્રિય રીતે અને ખુબ જ સહકારથી કામ કરે છે .
આપણા પૌલત્સ્ય , પરિવારજનો તથા પરદેશથી દર વર્ષે રકમ ભેટ રૂપે મળે છે . અમારી નમ્ર વિનંતી છે કે જે પરિવાજનો એ મંડળ તરફ થી સહાય મેળવી છે અથવા નોટબુક પ્રાપ્ત કરી છે અને ભણી-ગણી તૈયાર થઇ નોકરી/ધંધો કરતા થઇ ગયા છે . તેઓ આ મંડળના સભ્ય બને અને રોકડ આર્થિક સહાય કરે .
2019માં વિદ્યાર્થીઓને રોકડ આર્થિક સહાય તેમજ ચોપડા મળશે . મંડળ ફક્ત ચોપડા બનાવી વિતરણ કરે છે . ચોપડા વિતરણ કેન્દ્રો પરથી જૂનના પ્રથમ અઠવાડિયામાં ધોરણ 1 થી 4 સુધી 20 નંગ અને ધોરણ 5 પછી 30 નંગ ચોપડા મળશે .
પરિવારજનોની દરેક કમાનાર વ્યક્તિ આવકમાંથી ફક્ત રુ 501.00 કે તેનાથી વધારે રકમ શિક્ષણ માં આપે તેવું મંડળ ઈચ્છે છે . દાન આપનાર શિક્ષણનો આવજીવન સભ્ય બની જાય છે અને 80(જી) 5 મુજબ દાન કરમુક્ત પણ છે .
શિક્ષણ સહાયની કાયમી જનરલ સભા હવે પછીના તમામ વર્ષોમાં ડિસેમ્બરના ચોથા રવિવારે નવદુર્ગા મંદિરે મળશે . પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજનાના દરેક આજીવન સભ્યોને હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવે છે . આ દિવસે નવદુર્ગા મંડળની કારોબારી સભા પણ મળશે . સમય 10-00 થી 12-30 કલાકે . ચાલુ વર્ષે મિટિંગ 22-12-2019 રવિવાર ના રોજ મળશે . હવે પછી આ બાબતનો પત્ર મળશે નહિ .
આ મિટિંગમાં શિક્ષણના આજીવન સભ્યો કે દાતા જેમણે હાજર રહેવાનું હોય તેમણે 15 ડિસે। સુધીમાં પત્ર કે ફોનથી જાણ કરવી જરૂરી છે . પરિવાર સહ પણ જાણ કરી હાજર રહી શકાય છે .
જે પરિવારજનોએ પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના અને નવદુર્ગા મંડળના સભ્ય/દાતા બની સહકાર આપ્યો છે તે સૌના અમો સૌ આભારી છીએ .
શ્રી જયેન્દ્રભાઈ બી . વ્યાસ (પ્રમુખ)
કાર્યાલય, અમદાવાદ
શ્રી વિજયભાઈ કે . વ્યાસ (મંત્રી) - વડોદરા
શ્રી દેવાંગ આઈ . વ્યાસ (મંત્રી) - અમદાવાદ
શ્રી વિનયભાઈ એલ . વ્યાસ (મંત્રી) શિક્ષણ - વડોદરા
------------------------------------------------------------------------------------------------------------------------------
શ્રી સનતભાઇ બી . વ્યાસ (બંને મંડળનું કાર્યાલય સ્થળ , વડોદરા વિભાગ )