Sunday, February 17, 2019

નવદુર્ગા મંડળ અને શિક્ષણ સહાય યોજનાના પ્રમુખશ્રી / મંત્રીશ્રી નું નિવેદન - 2019

પ્રમુખશ્રી / મંત્રીશ્રી નું નિવેદન

પ્રિય જ્ઞાતિજનો , પૌલત્સ્ય પરિવાર ના સભ્યો ,

વિક્રમ સંવત 2075 અને ઈ  . સ  . 2019 નું નવું વર્ષ આપ સૌને લાભપ્રદ, આરોગ્યમય અને ધનધાન્ય થી ભર્યું બને તેવી 'માં દુર્ગા ને ' પ્રાર્થના  . 

તા  . 19-02-2019 ના મહા સુદ 15ને મંગળવારે મા દુર્ગા નો 47મોં પાટોત્સવ કનીજ ખાતે ઉજવવામાં આવશે  . નવચંડી યજ્ઞનો આરંભ સવારે 09-30 થી થશે  . શ્રીફળ સાંજે 05-00 હોમાશે  . આ મંગળ દિવસે આપ સૌને આવકારતા હું તથા સૌ મંડળના સભ્યો સહીત આનંદ અનુભવીએ છીએ  . 

પૌલત્સ્ય પરિવારજનોએ મંડળ ને આર્થિક સંકડામણ ક્યારેય અનુભવવા દીધી નથી  . મંદિર ખાતેની એફ  . ડી  .ની રકમ માં કોઈ કાપ મુક્યો નથી  . તમારા બધાનો સહકાર અને મા દુર્ગાના આશિષથી આરંભેલું બધું જ કામ પૂર્ણ થાય છે  . 

માના ધામમાં સ્ટીલની માંડવી,રાજા ખુરશી નંગ-2 તથા લગ્ન માટેની સ્ટીલની ચોરી અને યજ્ઞકુંડ પણ દાનમાં મળેલ છે  . 'પૌલત્સ્ય શિક્ષણ સહાય ' યોજનાનું કામકાજ પણ વ્યવસ્થિત રીતે ચાલે છે  . ચોપડાનું વિતરણ તથા રૂપિયા બે લાખ પચાસ હજાર સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબોને આર્થિક સહાય પણ દર વર્ષે આપવામાં આવે છે  . આ પ્રવૃત્તિનો વ્યાપ વધતો જાય છે  . તેથી આર્થિક મદદ કરતા રહેશો તેવી અમારી ઈચ્છા છે  . શિક્ષણ માટે દાન શ્રેષ્ઠદાન છે  . ચોપડા બનાવવાના ખર્ચમાં વધારો થતો જાય છે  . 

"પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના" પૌલત્સ્ય પરિવારજનો માટેનું એક આગવું અને વિશિષ્ટ સોપાન છે  . અમદાવાદ અને વડોદરા ખાતે કાર્યાલય ચાલે છે  . બંને કાર્યાલય તથા અગાઉ જણાવ્યા પ્રમાણેના ચોપડાના વિતરણ કેન્દ્રો ઉપરનું કામકાજ સંતોષકારક ચાલે છે  . આજ સુધી ક્યાંયથી ફરિયાદ મળી નથી  . સૌ હોદ્દેદારો,કારોબારી સભ્યો, ટ્રસ્ટીમંડળ સક્રિય રીતે અને ખુબ જ સહકારથી કામ કરે છે  . 

આપણા પૌલત્સ્ય , પરિવારજનો તથા પરદેશથી દર વર્ષે રકમ ભેટ રૂપે મળે છે  . અમારી નમ્ર વિનંતી છે કે જે પરિવાજનો એ મંડળ તરફ થી સહાય મેળવી છે અથવા નોટબુક પ્રાપ્ત કરી છે અને ભણી-ગણી તૈયાર થઇ નોકરી/ધંધો કરતા થઇ ગયા છે  . તેઓ આ મંડળના સભ્ય બને અને રોકડ આર્થિક સહાય કરે  . 

2019માં વિદ્યાર્થીઓને રોકડ આર્થિક સહાય તેમજ ચોપડા મળશે  . મંડળ ફક્ત ચોપડા બનાવી વિતરણ કરે છે  . ચોપડા વિતરણ કેન્દ્રો પરથી જૂનના પ્રથમ અઠવાડિયામાં ધોરણ 1 થી 4 સુધી 20 નંગ અને ધોરણ 5 પછી 30 નંગ ચોપડા મળશે  . 

પરિવારજનોની દરેક કમાનાર વ્યક્તિ આવકમાંથી ફક્ત રુ  501.00 કે તેનાથી વધારે રકમ શિક્ષણ માં આપે તેવું મંડળ ઈચ્છે છે  . દાન આપનાર શિક્ષણનો આવજીવન સભ્ય બની જાય છે અને 80(જી) 5 મુજબ દાન કરમુક્ત પણ છે  . 

શિક્ષણ સહાયની કાયમી જનરલ સભા હવે પછીના તમામ વર્ષોમાં ડિસેમ્બરના ચોથા રવિવારે નવદુર્ગા મંદિરે મળશે  . પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજનાના દરેક આજીવન સભ્યોને હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવે છે  . આ દિવસે નવદુર્ગા મંડળની કારોબારી સભા પણ મળશે  . સમય 10-00 થી 12-30 કલાકે  . ચાલુ વર્ષે મિટિંગ 22-12-2019 રવિવાર ના રોજ મળશે  . હવે પછી આ બાબતનો પત્ર મળશે નહિ  . 

આ મિટિંગમાં શિક્ષણના આજીવન સભ્યો કે દાતા જેમણે હાજર રહેવાનું હોય તેમણે 15 ડિસે। સુધીમાં પત્ર કે ફોનથી જાણ કરવી જરૂરી છે  . પરિવાર સહ પણ જાણ કરી હાજર રહી શકાય છે  . 

જે પરિવારજનોએ પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના અને નવદુર્ગા મંડળના સભ્ય/દાતા બની સહકાર આપ્યો છે તે સૌના અમો સૌ આભારી છીએ  . 

શ્રી જયેન્દ્રભાઈ બી  . વ્યાસ (પ્રમુખ)
કાર્યાલય, અમદાવાદ 

શ્રી વિજયભાઈ કે  . વ્યાસ  (મંત્રી) - વડોદરા 
શ્રી દેવાંગ આઈ  . વ્યાસ (મંત્રી) - અમદાવાદ 
શ્રી વિનયભાઈ એલ  . વ્યાસ (મંત્રી) શિક્ષણ - વડોદરા 
------------------------------------------------------------------------------------------------------------------------------
શ્રી સનતભાઇ બી  . વ્યાસ (બંને મંડળનું કાર્યાલય સ્થળ , વડોદરા વિભાગ ) 

--
Shri Audichya Tolak Samast Paulatsya Navdurga Mandal, Kanij