Saturday, January 18, 2020

નવદુર્ગા મંડળ અને શિક્ષણ સહાય યોજનાના પ્રમુખશ્રી / મંત્રીશ્રી નું નિવેદન - 2020

પ્રમુખશ્રી / મંત્રીશ્રી નું નિવેદન

પ્રિય જ્ઞાતિજનો , પૌલત્સ્ય પરિવાર ના સભ્યો ,

વિક્રમ સંવત 2076 અને ઈ  . સ  . 2020 નું નવું વર્ષ આપ સૌને લાભપ્રદ, આરોગ્યમય અને ધનધાન્ય થી ભર્યું બને તેવી 'માં દુર્ગા ને ' પ્રાર્થના  .

તા  .09-02-2020 ના મહા સુદ 15ને રવિવારે માં દુર્ગા નો 48મો પાટોત્સવ કનીજ ખાતે ઉજવવામાં આવશે  . નવચંડી યજ્ઞ નો આરંભ સવારે 09-30 થી થશે  . શ્રીફળ સાંજે 5-00 વાગે હોમાશે  . આ મંગળ દિવસે આપ સૌને આવકારતાં હું તથા સૌ મંડળ ના સભ્યો સહીત આનંદ અનુભવીએ છીએ  . 

પૌલત્સ્ય પરિવારજનોએ આર્થિક સંકડામણ ક્યારેય અનુભવવા દીધી નથી  . મંદિર ખાતેની એફ  . ડી  . ની રકમ માં કોઈ કાપ મુક્યો નથી  . તમારા બધાનો સહકાર અને માં દુર્ગા ના આશિષ થી આરંભેલું બધું જ કામ પૂર્ણ થાય છે  . 

"પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના"નું કામકાજ પણ વ્યવસ્થિત રીતે ચાલે છે  . ચોપડાનું વિતરણ તથા રુ  . બે લાખ પચાસ હાજર સુધીના વાર્ષિક આવક ધરાવતાં કુટુંબોને આર્થિક સહાય પણ દર વર્ષે આપવામાં આવે છે  . આ પ્રવૃત્તિ નો વ્યાપ વધતો જાય છે  . તેથી આર્થિક મદદ કરતા રહેશો તેવી અમારી ઈચ્છા છે  . શિક્ષણ માટે દાન શ્રેષ્ઠ દાન  છે  . ચોપડા બનાવવાના ખર્ચમાં વધારો થતો જાય છે  . 

  "પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના"  પૌલત્સ્ય પરિવારજનો માટેનું એક આગવું અને વિશિષ્ટ સોપાન છે  . અમદાવાદ અને વડોદરા ખાતે કાર્યાલય ચાલે છે  . બંને કાર્યાલય તથા અગાઉ જણાવ્યા પ્રમાણે ના ચોપડાના વિતરણ કેન્દ્રો ઉપરનું કામકાજ સંતોષકારક ચાલે છે  . આજ સુધી ક્યાંયથી ફરિયાદ મળી નથી  . સૌ હોદ્દેદારો, કારોબારી સભ્યો, ટ્રસ્ટીમંડળ સક્રિય રીતે અને ખુબ જ સહકાર થી કામ કરે છે  . 

આપણા પૌલત્સ્ય, પરિવારજનો તથા પરદેશથી દર વર્ષે રકમ ભેટ રૂપે મળે છે  . અમારી નમ્ર વિનંતી છે કે જે પરિવારજનો એ મંડળ તરફથી સહાય મેળવી છે અથવા નોટબુક પ્રાપ્ત કરી છે અને ભણી ગણી તૈયાર થઇ નોકરી / ધંધો કરતા થઇ ગયા છે  . તેઓ આ મંડળ ના સભ્ય બને અને રોકડ આર્થિક સંહ કરે  . 

2020 માં વિદ્યાર્થીઓને રોકડ આર્થિક સહાય તેમજ ચોપડા મળશે  . મંડળ ફક્ત ચોપડા બનાવી વિતરણ કરે છે  . ચોપડા વિતરણ કેન્દ્રો પરથી જૂનના પ્રથમ અઠવાડિયામાં ધોરણ - 1 થી 4 સુધી 20 નંગ અને ધોરણ 5 પછી 30 નંગ ચોપડા મળશે  . 

પરિવારજનોની દરેક કમાનાર વ્યક્તિ આવકમાંથી ફક્ત રુ  501.00 કે તેનાથી વધારે રકમ શિક્ષણ માં આપે તેવું મંડળ ઈચ્છે છે  . દાન આપનાર શિક્ષણનો આવજીવન સભ્ય બની જાય છે અને 80(જી) 5 મુજબ દાન કરમુક્ત પણ છે  .

શિક્ષણ સહાયની કાયમી જનરલ સભા હવે પછીના તમામ વર્ષોમાં ડિસેમ્બરના ચોથા રવિવારે નવદુર્ગા મંદિરે મળશે  . પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજનાના દરેક આજીવન સભ્યોને હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવે છે  . આ દિવસે નવદુર્ગા મંડળની કારોબારી સભા પણ મળશે  . સમય 10-00 થી 12-30 કલાકે  . ચાલુ વર્ષે મિટિંગ 27-12-2020 રવિવાર ના રોજ મળશે  . હવે પછી આ બાબતનો પત્ર મળશે નહિ  .

આ મિટિંગમાં શિક્ષણના આજીવન સભ્યો કે દાતા જેમણે હાજર રહેવાનું હોય તેમણે 15 ડિસે। સુધીમાં પત્ર કે ફોનથી જાણ કરવી જરૂરી છે  . પરિવાર સહ પણ જાણ કરી હાજર રહી શકાય છે  .

જે પરિવારજનોએ પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના અને નવદુર્ગા મંડળના સભ્ય/દાતા બની સહકાર આપ્યો છે તે સૌના અમો સૌ આભારી છીએ  .

શ્રી જયેન્દ્રભાઈ બી  . વ્યાસ (પ્રમુખ)
કાર્યાલય, અમદાવાદ

શ્રી વિજયભાઈ કે  . વ્યાસ  (મંત્રી) - વડોદરા
શ્રી દેવાંગ આઈ  . વ્યાસ (મંત્રી) - અમદાવાદ
શ્રી વિનયભાઈ એલ  . વ્યાસ (મંત્રી) શિક્ષણ - વડોદરા 
------------------------------------------------------------------------------------------------------------------------------
શ્રી સનતભાઇ બી  . વ્યાસ (બંને મંડળનું કાર્યાલય સ્થળ , વડોદરા વિભાગ ) 


નવદુર્ગા માં ની પ્રતિમા 

નવદુર્ગા મંડળ દ્વારા પૂ  . નવદુર્ગા માતાજી ની પિત્તળની મૂર્તિ જેનું વજન 2 કિલો 110 ગ્રામ છે  . હવે 10 મૂર્તિ મહા સુદ 15 મળશે  . જેને જરૂર હોય તેમણે અંક મળતાં જ નામ પ્રમુખશ્રીને (+79 25469001, +91 94277 01553) અથવા મંત્રી શ્રી દેવાંગ ભાઈ વ્યાસને (+91 94281 05056) નોંધાવી દેવું  . મૂર્તિની કિંમત રૂપિયા 3,000/- છે  .




48 મો વાર્ષિકોત્સવ આમંત્રણ પત્રિકા 






સને 2020 માં કનીજ મંદિરે ઉજવવાના પ્રસંગો 


પ્રવર્તમાન કારોબારી મંડળ 01/04/2018 થી 31/03/2021 સુધી 




'પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના - 2020 



'પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના' કારોબારી મંડળ 01-04-2018 થી 31-03-2021 સુધી


ચિર વિદાય 2018-19




રેલવે નું ટાઈમ ટેબલ - 2020


Sunday, February 17, 2019

નવદુર્ગા મંડળ અને શિક્ષણ સહાય યોજનાના પ્રમુખશ્રી / મંત્રીશ્રી નું નિવેદન - 2019

પ્રમુખશ્રી / મંત્રીશ્રી નું નિવેદન

પ્રિય જ્ઞાતિજનો , પૌલત્સ્ય પરિવાર ના સભ્યો ,

વિક્રમ સંવત 2075 અને ઈ  . સ  . 2019 નું નવું વર્ષ આપ સૌને લાભપ્રદ, આરોગ્યમય અને ધનધાન્ય થી ભર્યું બને તેવી 'માં દુર્ગા ને ' પ્રાર્થના  . 

તા  . 19-02-2019 ના મહા સુદ 15ને મંગળવારે મા દુર્ગા નો 47મોં પાટોત્સવ કનીજ ખાતે ઉજવવામાં આવશે  . નવચંડી યજ્ઞનો આરંભ સવારે 09-30 થી થશે  . શ્રીફળ સાંજે 05-00 હોમાશે  . આ મંગળ દિવસે આપ સૌને આવકારતા હું તથા સૌ મંડળના સભ્યો સહીત આનંદ અનુભવીએ છીએ  . 

પૌલત્સ્ય પરિવારજનોએ મંડળ ને આર્થિક સંકડામણ ક્યારેય અનુભવવા દીધી નથી  . મંદિર ખાતેની એફ  . ડી  .ની રકમ માં કોઈ કાપ મુક્યો નથી  . તમારા બધાનો સહકાર અને મા દુર્ગાના આશિષથી આરંભેલું બધું જ કામ પૂર્ણ થાય છે  . 

માના ધામમાં સ્ટીલની માંડવી,રાજા ખુરશી નંગ-2 તથા લગ્ન માટેની સ્ટીલની ચોરી અને યજ્ઞકુંડ પણ દાનમાં મળેલ છે  . 'પૌલત્સ્ય શિક્ષણ સહાય ' યોજનાનું કામકાજ પણ વ્યવસ્થિત રીતે ચાલે છે  . ચોપડાનું વિતરણ તથા રૂપિયા બે લાખ પચાસ હજાર સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબોને આર્થિક સહાય પણ દર વર્ષે આપવામાં આવે છે  . આ પ્રવૃત્તિનો વ્યાપ વધતો જાય છે  . તેથી આર્થિક મદદ કરતા રહેશો તેવી અમારી ઈચ્છા છે  . શિક્ષણ માટે દાન શ્રેષ્ઠદાન છે  . ચોપડા બનાવવાના ખર્ચમાં વધારો થતો જાય છે  . 

"પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના" પૌલત્સ્ય પરિવારજનો માટેનું એક આગવું અને વિશિષ્ટ સોપાન છે  . અમદાવાદ અને વડોદરા ખાતે કાર્યાલય ચાલે છે  . બંને કાર્યાલય તથા અગાઉ જણાવ્યા પ્રમાણેના ચોપડાના વિતરણ કેન્દ્રો ઉપરનું કામકાજ સંતોષકારક ચાલે છે  . આજ સુધી ક્યાંયથી ફરિયાદ મળી નથી  . સૌ હોદ્દેદારો,કારોબારી સભ્યો, ટ્રસ્ટીમંડળ સક્રિય રીતે અને ખુબ જ સહકારથી કામ કરે છે  . 

આપણા પૌલત્સ્ય , પરિવારજનો તથા પરદેશથી દર વર્ષે રકમ ભેટ રૂપે મળે છે  . અમારી નમ્ર વિનંતી છે કે જે પરિવાજનો એ મંડળ તરફ થી સહાય મેળવી છે અથવા નોટબુક પ્રાપ્ત કરી છે અને ભણી-ગણી તૈયાર થઇ નોકરી/ધંધો કરતા થઇ ગયા છે  . તેઓ આ મંડળના સભ્ય બને અને રોકડ આર્થિક સહાય કરે  . 

2019માં વિદ્યાર્થીઓને રોકડ આર્થિક સહાય તેમજ ચોપડા મળશે  . મંડળ ફક્ત ચોપડા બનાવી વિતરણ કરે છે  . ચોપડા વિતરણ કેન્દ્રો પરથી જૂનના પ્રથમ અઠવાડિયામાં ધોરણ 1 થી 4 સુધી 20 નંગ અને ધોરણ 5 પછી 30 નંગ ચોપડા મળશે  . 

પરિવારજનોની દરેક કમાનાર વ્યક્તિ આવકમાંથી ફક્ત રુ  501.00 કે તેનાથી વધારે રકમ શિક્ષણ માં આપે તેવું મંડળ ઈચ્છે છે  . દાન આપનાર શિક્ષણનો આવજીવન સભ્ય બની જાય છે અને 80(જી) 5 મુજબ દાન કરમુક્ત પણ છે  . 

શિક્ષણ સહાયની કાયમી જનરલ સભા હવે પછીના તમામ વર્ષોમાં ડિસેમ્બરના ચોથા રવિવારે નવદુર્ગા મંદિરે મળશે  . પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજનાના દરેક આજીવન સભ્યોને હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવે છે  . આ દિવસે નવદુર્ગા મંડળની કારોબારી સભા પણ મળશે  . સમય 10-00 થી 12-30 કલાકે  . ચાલુ વર્ષે મિટિંગ 22-12-2019 રવિવાર ના રોજ મળશે  . હવે પછી આ બાબતનો પત્ર મળશે નહિ  . 

આ મિટિંગમાં શિક્ષણના આજીવન સભ્યો કે દાતા જેમણે હાજર રહેવાનું હોય તેમણે 15 ડિસે। સુધીમાં પત્ર કે ફોનથી જાણ કરવી જરૂરી છે  . પરિવાર સહ પણ જાણ કરી હાજર રહી શકાય છે  . 

જે પરિવારજનોએ પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના અને નવદુર્ગા મંડળના સભ્ય/દાતા બની સહકાર આપ્યો છે તે સૌના અમો સૌ આભારી છીએ  . 

શ્રી જયેન્દ્રભાઈ બી  . વ્યાસ (પ્રમુખ)
કાર્યાલય, અમદાવાદ 

શ્રી વિજયભાઈ કે  . વ્યાસ  (મંત્રી) - વડોદરા 
શ્રી દેવાંગ આઈ  . વ્યાસ (મંત્રી) - અમદાવાદ 
શ્રી વિનયભાઈ એલ  . વ્યાસ (મંત્રી) શિક્ષણ - વડોદરા 
------------------------------------------------------------------------------------------------------------------------------
શ્રી સનતભાઇ બી  . વ્યાસ (બંને મંડળનું કાર્યાલય સ્થળ , વડોદરા વિભાગ ) 

--
Shri Audichya Tolak Samast Paulatsya Navdurga Mandal, Kanij

સને 2019માં કનીજ મંદિરે ઉજવવાના પ્રસંગો અને દાન ની વિગત

પ્રસંગો ની યાદી :

1) સંવત 2075 મહા સુદ 15 ને મંગળવાર તા  . 19-02-2019 (પાટોત્સવ) - નવચંડી યજ્ઞ સવારે 09-30 થી 05-00
2)  સંવત 2075 ચૈત્ર સુદ 8 ને શનિવાર તા  . 13-04-2019 - હવન સવારે 09-15 થી 12-30
3) સંવત 2075 જેઠ સુદ 15 ને સોમવાર તા  . 17-06-2019 (પ્રાગટોત્સવ) - નવચંડી યજ્ઞ સવારે 09-30 થી 05-00 (મુખ્ય યજમાન 31,000/- શ્રી ભરતકુમાર જયંતીલાલ વ્યાસ (વડોદરા)
4) સંવત 2075 આસો સુદ 8 ને રવિવાર તા  . 06-10-2019 -  હવન સવારે 09-15 થી 12-30 
5) સંવત 2075 આસો વદ અમાસને સોમવાર તા  .27-10-2019 - અન્નકૂટ સવારે 10-00 થી 12-00
6) 22 ડિસેમ્બર, 2019 ની નવદુર્ગા મંડળની કારોબારી તથા શિક્ષણની જનરલ મિટિંગ મળશે  . સવારે 10-00 થી 12-30  

---------------------------------------------------------------------------------------------------------------------------------
આગામી પ્રસંગ માટે જાહેરાત 

સંવત 2076 મહા સુદ 15 રવિવાર તા  .09-02-2020 ના રોજ પાટોત્સવ ઉજવાશે  . નવચંડી યજ્ઞ થાય છે  . 
નોંધઃ કારોબારીના ઠરાવ મુજબ મંદિરના ઉત્સવોમાં પૌલત્સ્ય પરિવારજનો સભ્ય જ મુખ્ય યજમાન તરીકે બેસી શકશે  . યજમાન પદે બેસવાની ઈચ્છા ધરાવતા કોઈપણ પરિવારજને અગાઉ કાર્યાલય ઉપર લેખિત જાણ કરવી  .સહયજમાનપદે અન્ય ગોત્રની વ્યક્તિ બેસી શકે છે  . 

---------------------------------------------------------------------------------------------------------------------------------
ખાસ નોંધ : ચેક બાબતે 

1) જો આપને મંદિરે દાન આપવું હોય તો ક્રોસ ચેક કરી "ઔ  . ટો  . સ  . પૌ  . નવદુર્ગા મંડળ " અથવા અંગ્રેજીમાં "A . T . S . P . Navdurga Mandal " ના નામે લખો  . આજીવન સભ્ય ફી રુ  .500/- છે  . દેના બેન્ક, મણિનગર (વેસ્ટ) Account Number : 006810003452

2) જો શિક્ષણ સહાયમાં દાન આપવું હોય તો ક્રોસ ચેક "શ્રી જી  . એમ  . એન્ડ જશુમતી વ્યાસ પૌ  . શી  . સહાય યોજના " અથવા અંગ્રેજીમાં "Shri G . M . and Jashumati Vyas Paulatsya Shikshan Sahay Yojna " ના નામે લખો  . આજીવન સભ્ય ફી રુ  .501/- છે  . દેના બેંક , મણિનગર (વેસ્ટ) Account Number : 006810024194 

-------------------------------------------------------------------------------------------------------------------------------------
પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના 
(રજી  . નં  . ઈ /8846, અમદવાદ - સ્થાપના 1992)
(સંસ્થાને આપેલ દાન 80G (5) હેઠળ ઈન્ક્મટેક્સ થી મુક્ત છે  .)
પાન : A A A T G 7770 M 

--
Shri Audichya Tolak Samast Paulatsya Navdurga Mandal, Kanij

ઔદીચ્ય ટોળક સમસ્ત પૌલત્સ્ય નવદુર્ગા મંડળ, કનીજ - કારોબારી - 2019




પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના - 2019





ચીર વિદાય 2017-18



રેલવે નું ટાઈમ ટેબલ - 2019


Saturday, May 7, 2016

નવદુર્ગા મંડળના પ્રમુખશ્રી /મંત્રીશ્રીનું નિવેદન - 2016

નવદુર્ગા મંડળના પ્રમુખશ્રી /મંત્રીશ્રીનું નિવેદન 

પ્રિય જ્ઞાતિજનો , પૌલત્સ્ય પરિવારના સભ્યો ,

2072નું નુતનવર્ષ અને 2016નું નવું  સૌને લાભપ્રદ, આરોગ્યપ્રદ અને ધનધાન્યથી ભર્યું   તેવી માં દુર્ગાને પ્રાર્થના  .

તા. 22-02-2016ના મહા સુદ 15ને સોમવારે માં દુર્ગાનો 44મો પાટોત્સવ કનીજ મંદિરે ઉજવવામાં આવશે  . આ મંગલ દિવસે આપ સહુને આમંત્રણ આપી આવકારતાં હું તથા સૌ મંડળના સભ્યો સહીત આનંદ અનુભવીએ છીએ  .

અત્યાર સુધીમાં મંદિર ખાતે ઘણું કામ કરવા છતાં વિકાસ અટકતો નથી  . આપણે 'વ્યાસ' એટલે 'વિકાસ' . હંમેશા નવી વિચારસરણી લઈને આગળ ધપવું તે જ આપણું કામ છે  . એટલે આ વર્ષે :

  1. જે બે નવા મકાન ખરીદ કરેલ છે ત્યાં પથ્થર લગાવવાનું કામ ચાલુ છે  . તે માટે શ્રી નવનીત ભાઈ વ્યાસે તેમના માતા-પિતા ના સ્મરણાર્થે રુ.51,000.00 દાનમાં આપેલ છે.
  2. મંદિરમાં વાડી બનાવી છે તેમાં શેડ લગાવવાનું કામ શરુ કરેલ છે.જેનો ખર્ચ રૂ.5.00 લાખ છે. દાન આવકાર્ય છે. રૂ.5,000.00 કે તેથી વધારે આપનારનું નામ આવતા અંકમાં નોંધમાં લેવામાં આવશે  .
  3. મંદિરના આગળના પ્રવેશદ્વાર નું કામ ચાલુ છે. તેમાં પણ દાન આવશ્યક છે. દાનની નોંધ અંકમાં લેવામાં આવશે  . નં. 2 અને 3 માટેનું ખર્ચ રૂ.8.00 લાખ જેવું છે. તો રૂ.21,000.00 કે તેથી વધારે દાન આપનારનું નામ કેવી રીતે નોંધવું તે મંડળ તથા સામાન્યસભા નક્કી કરે તે સ્વીકાર્ય છે.
  4. મંદિરના સમગ્ર પરિસરમાં કલર કામ ચાલુ કરેલ છે તેનો પણ ખર્ચ સૌની ઉપર છે. દુર્ગમાં એ સૌ પૌલત્સ્ય પરિવારજનોને સુખી અને સાધન-સંપન્ન બનાવ્યા છે તો મંડળને મદદ કરવામાં પાછી પાની નહિ કરો તેવી અમોને આશા છે. ઉપરોક્ત તમામ કામના ખર્ચને તા.25મી ડીસેમ્બરની કારોબારીએ મંજુરી આપેલ છે.
'પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના' ના પ્રમુખ તરીકે મારે જણાવવું જોઈએ કે રૂ.200,000.00 સુધી આવકવાળા પરિવારજનોના બાળકોને રોકડ આર્થિક સહાય આપવાનું ચાલુ વર્ષે નક્કી કરેલ છે. નોટબુકોનું વિતરણ તમામ કેન્દ્રો ઉપર મંડળ દ્વારા વ્યવસ્થિત રીતે થાય છે. તમામ કેન્દ્ર સંચાલકો નો હું આભાર માનું છું.

નોંધ: 2012 પછી જેમણે મકાન ફંડ માં દાન આપેલ છે તેમની તક્તીઓનું કામ ચાલુ છે. ચાલુ ફેબ્રુઆરી માસમાં કામ પૂર્ણ થાય તેવી મને આશા છે.

અમો આપના સૌનો આભારી છીએ....

જયેન્દ્રભાઈ બી.વ્યાસ                       દેવાંગ આઈ.વ્યાસ                 વિજયભાઈ કે.વ્યાસ 
કાર્યકારી પ્રમુખશ્રી, અમદાવાદ               મંત્રી શ્રી, અમદાવાદ                 મંત્રી શ્રી, વડોદરા 

તથા ટ્રસ્ટી મંડળ 



કનીજ મંદિરે ઉજવવાના પ્રસંગો ની યાદી -2016


અગત્ય ની સુચના -2016




રેલ્વે અને એસ.ટી. બસ નું સમય પત્રક - 2016


ચિરવિદાય -2015